
નેતૃત્વ જન્મજાત હોય છે તેને નિર્માણ કરી શકાતું નથી એ માન્યતાને પોતાના કર્તૃત્વથી ખોટી સાબિત કરનાર વ્યક્તિત્વ એટલે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય. નાસિકના કવળાણ નામના નાનકડા ગામે જન્મેલા ગોપાળરાવનું વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરીકેનું રૂપાંતર પોતાનામાં જ એક અદ્ભુત ઘટના છે. બાર વર્ષના દત્તક લેવાયેલા બાળક ગોપાળરાવને છ વર્ષ સુધી સઘન પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણના અંતે તત્કાલીન દીવાન રાજા સર. ટી માધવરાવ દ્વારા નેતૃત્વ, પ્રશાસન અને વ્યવહાર અંગે આપવામાં આવેલા અનુભવથી ભરેલા પ્રવચનોનો સંગ્રહ એટલે “માઇનોર હિન્ટ્સ” (શાસન સૂત્રો). ગુજરાત કેડરના અધિકારીઓની નવનિયુક્તિ વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ભેટ રૂપે “માઇનોર હિન્ટ્સ” પુસ્તક આપતા. આ વાત પરથી આ પુસ્તક આજે પણ કેટલું ઉપયોગી છે તેનો અંદાજો લગાવી શકાય છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સૅનેટ અને સિન્ડીકેટ સભ્ય ડૉ. જીગર ઇનામદારની સંકલ્પના અને સંચાલન હેઠળ 2015માં ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીડરશીપ એન્ડ ગવર્નન્સની સ્થાપના કરવામાં આવી છે. રાજકીય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક વર્ષનો ડિપ્લોમા ઇન પોલિટિકલ લીડરશીપ એન્ડ ગવર્નન્સ અભ્યાસક્રમ દેશભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. તે ઉપરાંત ભગવદ્ ગીતા, પંચતંત્ર, મહાભારત, કૌટિલ્ય અર્થશાસ્ત્ર, સરદાર પટેલ, વીર સાવરકર, સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ જેવા અનેક વિષયો પર સર્ટિફીકેટ કોર્સનું વખતોવખત આયોજન કરવામાં આવે છે.
| Brand Name | NAVBHARAT SAHITYA MANDIR |
| Manufacturer | Navbharat Sahitya Mandir |
| Item Type | Analysis & Strategy · Books |
| Shipping Weight | 428 g |
| Package Dimensions | 21 × 14 × 3.3 cm |
| Category | Books › Business & Economics › Analysis & Strategy |
| Category Rank | #36,205 in Books |
| Marketplace Rating | 4.4 out of 5 (7 ratings on the source marketplace) |